હાથરસ દુર્ઘટનાનો મુખ્ય હીરો "ભોલે બાબા": કઈ રીતે બન્યો પોલીસમાંથી બાબા ? કોને મળતી તેના રૂમમાં એન્ટ્રી; જાણો બાબાની જીંદગીની ચોંકાવનારી વાતો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan03072024_133026_Bhole 1.webp)
- 03 Jul, 2024
મંગળવારે ઉત્તરપ્રદેશના હાથરસમાં ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરી ઉર્ફે સુરજપાલના સત્સંગ કાર્યક્રમ દરમિયાન ભાગદોડના પગલે 122 લોકોના મોત થયા હતા. જોકે આ દુર્ઘટના પછી હાલ બાબા તો ફરાર થઈ ગયા છે. પરંતુ તેમના વિવિધ કાળાકામો સામે આવી રહ્યાં છે. એક મીડિયા અહેવાલ મુજબ બાબા હંમેશા સફેદ કપડા પહેરતા હતા. આ સિવાય તેઓ તેમના રૂમમાં માત્ર સુંદર છોકરીઓને જ પ્રવેશ આપતા હતા. આ સિવાયના કોઈ પણ વ્યક્તિ એટલે કે અન્યુયાયીઓ પણ તેમના રૂમમાં વગર પરવાનગીએ જઈ શકતા નહોતા.
58 વર્ષીય ભોલે બાબા ઉર્ફ સૂરજ પાલ સિંહ કાસગંજ જિલ્લાના બહાદુર નગર ગામના એક દલિત પરિવારમાંથી આવે છે. નાસભાગ બાદ બાબાના ગામની મુલાકાત લેનાર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભોલે બાબાએ લગભગ એક દાયકા સુધી પોલીસ ફોર્સમાં સેવા આપ્યા બાદ નોકરી છોડી દીધી હતી. તેમની છેલ્લી પોસ્ટિંગ આગ્રામાં હતી તે પણ જાણવા મળે છે કે સૂરજ પાલ સિંહ પરિણીત છે અને તેમને કોઈ સંતાન નથી. પોલીસ ફોર્સ છોડ્યા પછી, તેણે પોતાનું નામ બદલીને ભોલે બાબા રાખ્યું. જ્યારે તેમની પત્ની માતાશ્રી તરીકે ઓળખાય છે.
ભોલે બાબા લક્ઝરી કારનો પણ શૌખીન હોવાનું કહેવાય છે. તેના કાફલામાં ઘણી મોંઘી કાર છે અને વખતોવખત નવી નવી ખરીદતો રહે છે. ભોલે બાબા ઉર્ફ નારાયણ સાકાર હરી સામે યૌન શૌષણ સહિત 5 કેસ નોંધાયેલા છે. જોકે તેની સામેનો યૌન શૌષણનો કેસ થયો હતો. તેને લઈને મોટી માહિતી સામે આવી હતી. યુપીના પૂર્વ DGP વિક્રમ સિંહે પણ ભોલે બાબા સામેના કેસની પુષ્ટિ કરી હતી. યુપી પોલીસમાં હેડ કોન્સ્ટેબલની નોકરી દરમિયાન 28 વર્ષ પહેલા બાબા ઈટાવામાં તહેનાત હતા. નોકરી વખતે રેપનો કેસ નોંધાતાં ભોલે બાબાને બરખાસ્ત કરી દેવાયાં હતા. જેલમાંથી છૂટ્યાં બાદ તે નામ બદલીને બાબા બની ગયો હતો.
સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના નાના ભાઈની પત્નીએ જણાવ્યું છે કે બાબા તેના બાળકોને મારતા હતા. 'ભોલે બાબાને હવે તેમના પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. બાબાએ એક વખત પોતાના બાળકોને પણ માર માર્યો હતો. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. તેણે કહ્યું કે અમે ક્યારેય બાબાના સત્સંગમાં ગયા જ નથી. તેમ જ અમને તેમની સાથે કોઈ ચિંતા નથી. તે મારા પતિ એટલે કે તેના મોટા ભાઈના મરણ વખતે પણ આવ્યો હતો. અમારે તેની સાથે કંઈ લેવાદેવા નથી.